Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૩૧ જાન્યુઆરીથી બજેટ સત્રનો પ્રારંભઃ રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુનું સંસદમાં સંબોધન
નવી દિલ્હી તા. ૧૧ઃ આગામી તા. ૩૧ જાન્યુઆરી સંસદનું બજેટ સત્ર શરૃ થશે જેમાં તા.૧ ફેબ્રુઆરીએ મોદી સરકારના બીજા કાર્યકાળનું અંતિમ બજેટ રજૂ થશે.
સંસદનું બજેટ સત્ર ૩૧ મી જાન્યુઆરીથી શરૃ થશે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું બજેટ સત્ર હશે. અહેવાલ અનુસાર, આ સત્ર ૯ મી ફેબ્રુઆરી સુધી ચાલશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ૩૧ મી જાન્યુઆરીએ સંસદના બંને ગૃહોને સંબોધિત કરશે. ત્યારબાદ ૧ ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ વચગાળાનું બજેટ રજૂ કરશે.
ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોદી સરકાર વચગાળાના બજેટમાં મહિલાઓ અને ખેડૂતોને લગતી મોટી જાહેરાતો કરી શકે છે. સુત્રોના જણાવ્યાનુસાર, કેન્દ્ર સરકાર ખેડૂતોને આપવામાં આવતી કિસાન સન્માન નિધિને બમણી કરવાનો પ્રસ્તાવ લાવી શકે છે. જો કે હાલમાં સરકારના એજન્ડામાં કોઈ મોટા કાયદાકીય કામ નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial