Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મેડિકલ કોલેજના ડીન તથા કેમિસ્ટ-ડ્રગીસ એસોસિએશન પરિવારની સેવાભાવનાને બિરદાવી
જામનગર તા. ૧૧ઃ જામનગર કેમિસ્ટ પરિવારના કારોબારી સદસ્ય એવા સોનલ મેડિકલ એજન્સીવાળા ભરતભાઈ પટેલના માતુશ્રીનું નિધન થતા તેમના દેહનું મેડિકલ કોલેજને દાન કરવામાં આવ્યું છે.
મૂળ માણાવદરવાળા અને હાલ જામનગરના સોનલ મેડિકલ એજન્સીવાળા ભરતભાઈ દંડીવાડિયાના માતા મુક્તાબેન માધવજીભાઈ દેકીવાડિયા (ઉ.વ. ૮૮) નું તા. ૮-૧-ર૦ર૪ ના અવસાન થયું હતું. સદ્ગતની ઈચ્છા અનુસાર તેમના ચક્ષુ અને દેહનું જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં દાન આપવામાં આવ્યું છે.
આમ કોઈ પ્રજ્ઞાચક્ષુને દૃષ્ટિ મળશે તો તબીબી વિદ્યાર્થીઓને અભ્યાસમાં મૃતદેહ ઉપયોગી બનશે. આમ દેકીવાડિયા પરિવારનો નિર્ણય અન્ય લોકો માટે પ્રેરણારૃપ બન્યો છે. મેડિકલ કોલેજમાં ડીન દ્વારા આ માટે દેકીવાડિયા પરિવારને ધન્યવાદ પત્ર પાઠવાયો છે. તો જામનગર કેમિસ્ટ એન્ડ ટ્રગીસ્ટ એસોસિએશન દ્વારા પણ આવા સામાજિક કાર્ય માટે પરિવારને ધન્યવાદ પાઠવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial