Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અયોધ્યામાં રામમંદિર પ્રતિષ્ઠા માટે રામભક્તો આતુરઃ
જામનગર તા. ૧૧ઃ છોટીકાશી ગણાતા જામનગરમાં આગામી રર જાન્યુઆરી ર૦ર૪ ના અયોધ્યામાં ભગવાન શ્રીરામની જન્મભૂમિ ઉપર નિર્માણાધીન મંદિરમાં બરોબર બપોરે ૧ર કલાક, ર૯ મિનિટ, ૪૩ સેકન્ડે ભગવાન શ્રીરામની પુનઃ પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે. જેને લઈને સમગ્ર વિશ્વનસ સાથે જામનગરમાં પણ અયોધ્યાથી શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રથી અક્ષત કળશો આવેલ છે. જે અક્ષત કળશને જામનગરમાં વસતા અયોધ્યાની શ્રીરામ જન્મભૂમિ આંદોલન દરમિયાન સકારાત્મક ભૂમિકા ભજવનાર કાર સેવકોના ઘરે-ઘરે વાજતે ગાજતે આસ્થાભેર સામૈયા કરી સ્વાગત કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત વિવિધ વિસ્તારોના ધર્મસ્થાનોમાં પણ કાર સેવકો અને શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના કાર્યકરો દ્વારા આ અક્ષત કળશ લઈ પહોંચતા ભાવિકો દ્વારા ઠેર ઠેર પૂજન-અર્ચન પણ કરવામાં આવી રહ્યું છે.
જામનગરના વિવિધ વિસ્તાર, મહોલ્લાઓમાં આગામી ૧ જાન્યુઆરીથી ૧પ જાન્યુઆરી દરમિયાન આ અક્ષત વિવિધ વિસ્તારોમાં પહોંચશે અને તેમાંથી અયોધ્યાની તસ્વીર, શ્રીરામ જન્મભૂમિ મંદિરનો ફોટો અને અક્ષત દ્વારા રામ ભક્તોને અયોધ્યાનું આમંત્રણ આપવામાં આવશે. જેના માટે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને અત્યારથી જ આ ટીમો વિવિધ વિસ્તારોમાં જુદી જ ુદી ટીમો બનાવી રર જાન્યુઆરી ર૦ર૪ ની ઐતિહાસિક ક્ષણને જામનગરમાં પણ વધાવવા માટે વિવિધ વિસ્તારોમાં રામધૂન, મહાઆરતી અને વિશાળ સ્ક્રીન ઉપર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના લાઈવ ટેલિકાસ્ટના આયોજન કરાઈ રહ્યા છે અને અયોધ્યાની ભગવાન શ્રીરામની જન્મભૂમિ ઉપર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના વધામણા કરવા જામનગરના રામભક્તો પણ શ્રદ્ધાભેર આતુર જોવા મળી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial