Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં નેત્રયજ્ઞ-દંતયજ્ઞ તથા સર્વરોગ નિદાન અને સારવારના કેમ્પો

૧૮મી જાન્યુ.એ કેમ્પઃ

જામનગર તા. ૧૧ઃ જામનગરના વનીતાબેન વિશ્વનાથ ત્રિવેદી ચેરી. ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદી અને પ્રફુલભાઈ શેઠ તથા એક અનામી દાતાના સહકારથી નિઃશુલ્ક નેત્રયજ્ઞ, દંતયજ્ઞ તથા સર્વરોગ નિદાન અને સારવારના મેગા કેમ્પ યોજવામાં આવ્યા છે. આ મેગા કેેમ્પ તા.૧૮-૧ના સવારે ૯થી ૧૨ સમસ્ત તળપદા કોળી જ્ઞાતિ તડપરવાળા સમાજ ટ્રસ્ટ, નાગેશ્વર કોલોની, વાકોલ માતા મંદિર પાસે, નાગેશ્વરમાં રાખવામાં આવ્યો છે.

કેમ્પમાં ડો. હીરાબેન જોષી દ્વારા સર્વરોગ નિદાન, સારવાર સાથે મફત દવા અપાશે. ડો. કશ્યપ કાનાણી દર્દીને તપાસી સારવાર આપશે. ડો. જયસુખ મકવાણા તેમની ટીમ દાંતની તપાસ કરશે. હલતા દાંત જલંધર પદ્ધતિથી દુખાવા વગર કાઢી આપશે. કાળા દાંત સફેદ કરવા દવા આપશે અને દાંતના ચોકઠા રાહત ભાવે બનાવી ફીટ કરી આ પશે. ડો. જતીન અજુડીયા અને નાઝમીન મીરઝા મહિલા દર્દીને તપાસશે.

ઓપ્થોમેટ્રીસ્ટ ડો. જાડેજા પૃથ્વીરાજસિંહ આંખના મોતીયાના દર્દીને તપાસી ઓપરેશન માટે રાજકોટની રણછોડદાસ બાપુ ચેરી. હોસ્પિટલમાં મોકલવામાં આવશે. મેગા કેમ્પનો  સંખ્યામાં લાભ લેવા પ્રમુખ નટુભાઈ ત્રિવેદી દ્વારા જણાવવામાં આવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh