Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફેબ્રુઆરીના પ્રથમ પખવાડિયાથી
નવી દિલ્હી તા. ૧૧ઃ ફેબ્રુઆરીના પ્રથમ પખવાડિયાથી અયોધ્યા માટે અમદાવાદ, ભાવનગર, રાજકોટ, ભોપાલ અને સુરતથી 'આસ્થા ટ્રેનો' દોડશે. પ ટ્રેનોમાંથી ૪ ટ્રેનો તો માત્ર ગુજરાતથી જ ઉપડશે. ખુદ રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશે ટ્વિટ કરી માહિતી આપી હતી.
અયોધ્યા નગરીમાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા તા. રર જાન્યુઆરીના સંપન્ન થયા પછી દર્શનાર્થે અયોધ્યા જવા ઈચ્છતા યાત્રિકોની સુવિધાને લઈ રેલવે દ્વારા પ ટ્રેનો શરૃ કરવામાં આવી છે, જે સંબંધિત સ્ટેશનથી અયોધ્યા જશે.
આ અંગે ખુદ રેલવે રાજ્ય મંત્રીએ ટ્વિટ કરી માહિતી આપી છે. આ તરફ પ ટ્રેનોમાંથી ૪ ટ્રેનો તો માત્ર ગુજરાતથી જ ઉંપડશે.
રેલવે રાજ્ય મંત્રી દર્શના જરોદોશે એક્સ પર લખ્યું કે, આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામની નગરી અયોધ્યા ભારત સમગ્ર વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે જ્યાં લાખો-કરોડો શ્રદ્ધાળુ અયોધ્યા જવાની ઈચ્છા રાખી રહ્યા છે ત્યારે વિવિધ વિસ્તારથી સ્થિત અયોધ્યા માટે આસ્થા ટ્રેન શરૃ થવા જઈ રહી છે.
ઈન્દોર-અયોધ્યા-ઈન્દોર, તારીખ ૩ ફેબ્રુઆરી ર૪ થી, ભાવનગર-અયોધ્યા-ભાવનગર, તારીખ ૯ ફેબ્રુઆરી ર૪ થી, રાજકોટ-અયોધ્યા-રાજકોટ, તારીખ ૧૦ ફેબ્રુઆરી ર૪ થી તેમજ અમદાવાદ-અયોધ્યા-અમદાવાદ, તારીખ ૧૦ ફેબ્રુઆરી ર૪ થી અને સુરત-અયોધ્યા-સુરત, તારીખ ૧૦ ફેબ્રુઆરી ર૪ થી શરૃ થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial