Advertisement
Author: નોબત સમાચાર

પૂ. જીગ્નેશદાદાના વ્યાસાસને ભાગવત સપ્તાહના આયોજન માટે તડામાર તૈયારી

જામનગરના આંગણે યોજાનાર

છોટીકાશી જામનગરના આંગણે સુપ્રસિધ્ધ ભાગવતાચાર્ય પૂ. જીગ્નેશદાદાના વ્યાસાસને શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનનું એરપોર્ટ રોડ ઉપર તુલસી પાર્ટી પ્લોટના વિશાળ મેદાનમાં તુલસી નગરીમાં આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલ તા. ૧ર જાન્યુઆરીથી શરૃ થઈ રહેલા આ ધાર્મિકોત્સવ માટે આયોજકો સત્કર્મ ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા શ્રીકૃષ્ણ મિત્ર મંડળના કાર્યકર્તાઓ, આગેવાનો દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે. કથાના સ્થળે વિશાળ પેટીપેક સમીયાણો તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ભાવિકો-શ્રોતાઓ માટે સુંદર બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ભવ્ય વ્યાસપીઠ-સ્ટેજનું નિર્માણ કરાયું છે. તેમજ વાહનોના પાર્કિંગ માટે પણ સુચારૃ વિશાળ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ભાગવત કથાના સ્થળે અયોધ્યામાં થનાર શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સંદર્ભમાં અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિનું સ્થાપન કરવામાં આવશે. તેમજ શણગારેલી સાત ગૌમાતાની ઉપસ્થિતિ રહેશે. આવતીકાલે તા. ૧ર-૧-ર૦ર૪ના સાંજે પઃ૩૦ વાગ્યે બાલા હનુમાન મંદિરથી પોથીયાત્રા નિકળશે. કથા શ્રવણ સમય દરરોજ રાત્રે ૮ઃ૩૦ થી ૧ર વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. બેઠક વ્યવસ્થાનો લાભ લેવા ઓનલાઈન પાસની વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવી છે. પૂ. જીગ્નેશદાદાના કંઠે ભાગવત કથાનું શ્રવણ કરવું તે એક અમૂલ્ય લ્હાવો હોય જામનગરના ધર્મપ્રેમીઓમાં ભારે ઉત્સાહનો માહોલ સર્જાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh