Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરના સડોદર નજીક વનરાણી 'સિંહણ'નો પડાવઃ વનવિભાગના ધામા

લોકજાગૃતિ માટે લોકડાયરાઃ એક સિંહણનું જૂનાગઢ ભણી પ્રયાણ...

જામનગર તા. ૧૧ઃ જામનગર જિલ્લાના જામજોધપુર-કાલાવડ પંથકમાં વનરાણીનું આગમન થયું છે. આમ ખેડૂતો, ગ્રામ્ય લોકોમાં ભય ફેલાયો છે. બીજી તરફ વન વિભાગે જંગલમાં ધામા નાખ્યા છે, અને સિંહણને પકડવા માટે જરૃરી તમામ પ્રયાસો થઈ રહ્યા છે, જો કે એક સિંહણે જૂનાગઢ તરફ પ્રયાણ કર્યું હોવાના પણ વાવડ મળી રહ્યા છે.

બીજી તરફ લોકજાગૃતિ માટે વન વિભાગ લોકડાયરા યોજી રહી છે. આજે રાત્રે સડોદરમાં ડાયરો યોજવામાં આવ્યો છે.

કાલાવડ અને જામજોધપુર પંથકમાં સિંહણના આગમનના એંધાણ મળ્યા છે. એક કાલાવડ પંથકમાં સિંહણના વાવડ મળ્યા હતાં જેની તપાસના અંતે વન વિભાગને સગડ મળ્યા હતાં તે સિંહણ જૂનાગઢ તરફ ચાલી ગઈ છે. જ્યારે હજુ એક સિંહણ જામજોધપુરના જંગલમાં આંટાફેરા કરતી હોવાના સગડ મળ્યા છે. તેણે મારણ પણ કર્યું હતું. આવા પશુના માલિકને વળતર પણ આપવામાં આવ્યું છે.

આ સિંહણને પાંજરે પૂરવા તથા તેના સગડ મેળવવા વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓની ટીમ જંગલમાં પડાવ નાંખી બેઠી છે. ટ્રેકર કેમેરા, પાંજરા સહિત તમામ સાધનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

બીજી તરફ વનવિભાગ દ્વારા લોક જાગૃતિ માટે લોકડાયરો યોજવામાં આવ્યો છે. બે દિવસ પહેલા ધનધોરાજીમાં ડાયરો યોજાયો હતો. આજે રાત્રે સડોદરમાં લોકડાયરો યોજવામાં આવ્યો છે. આમ લોકડાયરા મારફત લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. સિંહ પ્રત્યેની સમજ આપવામાં આવે છે. સતર્ક રહેવું, પણ ભય રાખવો નહીં, કારણ કે વન વિભાગ સતત જાગૃત અને કાર્યરત છે. તેની સમજ આપવામાં આવી રહી છે. એક માહિતી મુજબ સડોદરથી દૂરના જંગમાં સિંહણે પડાવ નાખ્યો હોવાનું જાણવા મળે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh