Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસતંત્રમાં પાંચ ફોજદારની બદલીનો કરાયો આદેશ

બે પીએસઆઈ ઈન્ચાર્જ પીઆઈનો હવાલો સંભાળશેઃ

જામનગર તા. ૧૧ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસતંત્રમાં ફરજ બજાવતા કુલ પૈકીના પાંચ પીએસઆઈની અરસપરસ બદલીનો જિલ્લા પોલીસવડાએ હુકમ કર્યાે છે. એલસીબીના એક પીએસઆઈને ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં મુકાયા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસબેડામાં ફરજ બજાવતા પાંચ પીએસઆઈની આંતરીક બદલીનો ગઈકાલે જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયએ હુકમ કર્યાે છે.

હાલમાં ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ એન.એચ. જોષીને મીઠાપુર પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે. તેઓ પોલીસ મથકમાં ઈન્ચાર્જ પીઆઈ તરીકે ચાર્જ સંભાળશે. મીઠાપુરના પીએસઆઈ એમ.ડી. મકવાણાને એસસી એસટી સેલના રીડર પીએસઆઈ તરીકે નિમણૂક આપવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા એલસીબીના પીએસઆઈ એસ.વી. ગરચરને ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ તરીકે બદલી અપાઈ છે. વિભાગીય પોલીસ અધિકારીની કચેરીમાં ફરજ બજાવતા પીએસઆઈ એસ.વાય. ઝાલાને ખંભાળિયા પોલીસ સ્ટેશન અને ટ્રાફિક શાખાના પીએસઆઈ એન.ડી. કલોતરાને દ્વારકાધીશ મંદિર સુરક્ષામાં મુકવામાં આવ્યા છે. પીએસઆઈ એસ.વાય. ઝાલા ખંભાળિયામાં ઈન્ચાર્જ પીઆઈ તરીકે પણ વધારાનો હવાલો સંભાળશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh