Advertisement
Author: નોબત સમાચાર

યાત્રાધામ દ્વારકામાં જાજરૃની ગંદકી પાલિકાતંત્ર જ રોડ પર ફેંકે છે.. તિવ્ર દુર્ગંધ

આમ આદમી પાર્ટીની રાવ

ખંભાળિયા તા. ૧૧ઃ દ્વારકા જિલ્લાનો દ્વારકા વિસ્તાર એ ભારતના ચારધામ પૈકીનું એક યાત્રાધામ હોવા છતાં સ્થાનિક પાલિકા તંત્ર દ્વારા નાગરિકોના જાજરૃનો ટેન્કનો ખરાબ કચરો રોડ પર ફેંકાતા આમ આદમી પાર્ટી દ્વારા ફરિયાદ કરવામાં આવી છે.

ફરિયાદમાં જણાવાયેલ કે, દ્વારકામાં મીરાભાઈ માર્ગથી ખોડિયાર માતા મંદિર સુધી રોડની બંને બાજુએ પાલિકાના શહેરી વિસ્તારના જાજરૃના સેફટી ટેન્કના કચરા ગંદકી નાખવામાં આવે છે જેના બંને તરફ ઢગલા જોવા મળે છે. ત્યાંથી આવતા જતા યાત્રિકોને ખૂબજ ગંદકી તથા દુર્ગંધનો સામનો કરવો પડતો હોય તહેવારો તથા સામાન્ય સંજોગોમાં પણ મોટી સંખ્યામાં લોકો યાત્રાળુઓ પ્રવાસીઓ આવતા હોય. દ્વારકા તીર્થધામના વિકાસ માટે રાજ્ય કેન્દ્ર સરકાર કરોડો ખર્ચે છે ત્યારે આને કારણે ખૂબજ મોટી છાપ પડતી હોય તાકીદે પગલા લેવા માંગ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh