Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સામાજિક વનીકરણ હેઠળ વનવિભાગ દ્વારા
ખંભાળીયા તા. ૧૧ઃ મીઠાપુરના સમરસ ભવનમાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારકા જિલ્લા દ્વારા વ્હેલ શાર્ક સંરક્ષણ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વ્હેલ શાર્કના નિષ્ણાત તજજ્ઞો દ્વારા આ બન્ને પ્રજાતિની વિશેષતા તથા બન્ને પ્રજાતિના સંરક્ષણ અંગે ધ્યાનમાં રાખવાની બાબતો ઉદાહરણો સાથે જણાવી હતી. કાર્યક્રમના અધ્યક્ષ નાયબ વન સંરક્ષક દ્વારકા શ્રી અરૃણકુમાર આઈ.એફ.એસ. દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સામાજિક વનીકરણ વિભાગ, ટાટા કેમિકલ્સ, વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ તથા ફીશરીઝ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ, મોટી સંખ્યામાં માછીમારો તથા સેંટ મેરી સ્કૂલના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
દ્વારકા સામાજિક વનીકરણ રેંજના જીએફસી પી.કે. પંડિત તથા અન્ય અધિકારીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial