Advertisement
Author: નોબત સમાચાર

સ્વચ્છતા સર્વેક્ષણ ઝુંબેશમાં જામનગર ૮૩મા સ્થાને

ગત વર્ષે ૫૪મો નંબર હતોઃ જામનગરની સ્વચ્છતા ઝુંબેશ નાટક પુરવાર થઈઃ

જામનગર તા. ૧૧ઃ ભારત સરકાર દ્વારા હાથ ધરાયેલા સ્વચ્છતા સર્વેક્ષણ હરિફાઈમાં જામનગરનો ૮૩મો નંબર મળ્યો છે. જે ગત વર્ષે ૫૪મો હતો. જો કે, દસ લાખની કેટેગરી નહીં પરંતુ બધા મોટા શહેરોની પણ સાથે જ ગણતરી કરવામાં આવી હતી.

ભારતના શહેરોમાં સ્વચ્છતા કેવી છે, ઘરે ઘરે કચરો એકત્ર કરવાની શું સુવિધા છે, ગાર્બેજ પ્રોસેસીંગ વ્યવસ્થા છે?

આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને શ હેરોને નંબર આપી ક્રમાંક જાહેર કરવામાં આવે છે. ગુજરાતમાંથી આ વર્ષે સુરતે સારૃ પ્રદર્શન કરી નંબર હાંસલ કર્યા છે. જામનગર મહાનગરપાલિકાને ૮૩મો નંબર મળ્યો છે જે ગત વર્ષે ૫૪મો હતો. એટલે કે જામનગર શહેર ૨૮ અંક પાછળ ધકેલાયું છે.

જો કે, પાછળ ધકેલાવવાના કારણોમાં એવું પણ કારણ છે કે ગત વર્ષ ૧થી ૧૦ લાખ અને ૧૦ લાખથી વધુ વસ્તીવાળા શહેરની અલગ ગણતરી કરવામાં આવી એવું સ્પષ્ટ થાય છે કે જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સ્વચ્છતા ઝુંબેશ 'નાટક' સાબિત થવા પામી હતી જે આ વર્ષ બંને એક જ કેટેગરીમાં સામેલ થતાં જામનગર પાછળ ધકેલાયું છે. ભારતના કુલ ૪૪૬ શહેરો આ સ્વચ્છતા ઝુંબેશ હરિફાઈમાં જોડાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh