Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોટ તા. ૧૧ઃ રાજકોટમાં કેસરિયા વાડીમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં કીંગ ઓફ મેરેજ બ્યૂરોના મુકેશભાઈ તન્ના તથા આશિષભાઈ પૂજારા દ્વારા લોહાણા વેવિશાળ લગ્નવિષયક નિઃશુલ્ક મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ટીવી સ્ક્રીન ઉપર યુવક-યુવતીઓના બાયોડેટા દર્શાવવામાં આવ્યા હતાં. પરિચર મેળામાં મોટી સંખ્યામાં ઉમેદવાર યુવક-યુવતીઓ, વાલીઓ જોડાયા હતાં. છ જેટલા એન્કરો દ્વારા માહિતી આપવામાં આવી હતી.
આ પરિચય મેળામાં લોહાણા મહાજનના નિશાંન ચોટાઈ, હિરેનભાઈ ખખ્ખર, કીશોરભાઈ કોટક, રઘુવંશી પરિવારના હસુભાઈ ભગદેવ, પરેશભાઈ વિઠ્ઠલાણી, પોરબંદરના બિલ્ડર દિલીપભાઈના પુત્ર જાનકારભાઈ મજેઠિયા ઉપસ્થિત રહ્યા હતાં. પ૦૦ જેટલા ઉમેદવારો સહિત ૧૧૦૦ થી વધુ લોકો હાજર રહ્યા હતાં. મોન્ટુભાઈ ઉનડકટ, પરેશભાઈ રાજદેવ, મુકેશભાઈ તન્ના વગેરેએ જહેમત ઊઠાવી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે, મુકેશભાઈ તન્ના તથા આશિષભાઈ પૂજારા દ્વારા આ અનોખી સેવા ઘણાં સમયથી કરવામાં આવે છે. (સંપર્કઃ મુકેશભાઈ તન્ના (૯૮રપ૪ ૩૪૬૦), આશિષભાઈ પૂજારા (૯૮રપ૩ ૦૦૩૩૩).
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial