Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તેણીના પરિવારને પોલીસે શોધી કાઢ્યોઃ
ખંભાળિયા તા. ૧૧ઃ ખંભાળિયાના કેશોદ ગામ પાસે ગઈકાલે માનસિક અસ્થિરતાનો ભોગ બનેલી એક તરૃણી પરિવારથી વિખૂટી પડી ગયેલી હાલતમાં મળી આવી હતી. તેણીના માતા-પિતાને શોધી કાઢી પોલીસે તેનો કબજો સોંપી આપ્યો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના કેશોદ ગામ પાસે આવેલા પોરબંદર રોડ પર એક પરપ્રાંતીય અસ્થિર મગજની ૧૪ વર્ષની તરૃણી પરિવારથી વિખૂટી પડી ગઈ હતી. તેણી સાંજના સમયે રડતી હાલતમાં ત્યાંથી પસાર થતા રાહદારીઓને જોવામાં આવી હતી. તેણીની ભાષા ન સમજાતા કેશોદના અગ્રણી મોહનભાઈ કશ્યપભાઈ ડેરને જાણ કરવામાં આવી હતી.
ખંભાળિયાના પીઆઈ નિકુંજ જોષીને જાણ કરાતા તેમણે પોલીસ ટીમ મોકલી હતી. આ બાળાને મહિલા પોલીસની સાથે રાખી શોધખોળ કરાતા આ તરૃણીના માતા-પિતા મળી આવ્યા હતા. તેમને તરૃણીનો કબજો સોંપી આપવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial