Advertisement
Author: નોબત સમાચાર

યુવાનને મરી જવા માટે મજબૂર કરવાના ગુન્હામાં આરોપીની જામીન અરજી નામંજૂર

પોણા બે વર્ષ પહેલાં બન્યો હતો બનાવઃ

જામનગર તા. ૧૧ઃ જામનગરના એક યુવાને પોતાને મળતી ધાકધમકીથી ત્રાસી જઈને પોણા બે વર્ષ પહેલાં ટ્રેન હેઠળ ઝંપલાવી આત્મહત્યા કરી હતી. તે ગુન્હામાં એક આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી નકારાઈ છે.

જામનગરના નીતિન જયંતિલાલ નામના યુવાનને માર મારવા અંંગે કૃષ્ણરાજસિંહ ભરતસિંહ, મયુરસિંહ, ધર્મેન્દ્રસિંહ રણજીતસિંહ સામે પોલીસમાં ફરિયાદ થઈ હતી. તે પછી જામીન પર મુક્ત થયેલા કૃષ્ણરાજસિંહ અને મયુરસિંહ અવારનવાર નીતિનને ડરાવતા હતા તેથી ગઈ તા.૧૮-૩-૨૨ના દિને નીતિને ટ્રેન હેઠળ પડતું મૂકી આત્મહત્યા કરી લીધાની તેના પિતા જયંતિલાલે પોલીસમાં ફરિયાદ કરી હતી.

આ અંગેના ગુન્હામાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી જેમાંથી કૃષ્ણરાજ સિંહે જામીનમુક્ત થવા અદાલતમાં અરજી કરતા અદાલતે તેની જામીન અરજી ફગાવી દીધી છે. મૂળ ફરિયાદી તરફથી વકીલ કિરણભાઈ બગડા, જયન ગણાત્રા, પાર્થ બગડા તથા સરકાર તરફથી પીપી ધર્મેન્દ્ર જીવરાજાની રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh