Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરની સ્વચ્છતા ઝુંબેશને આવકારી જન સહયોગ માંગ્યો
જામનગર તા. ર૪: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના સંબોધન દરમિયાન જ્યારે જામનગરની સ્વચ્છતા ઝુંબેશને આવકારી જામ્યુકોની પીઠ થાબડી અને પ્રશંસા કરી ત્યારે ઓડિયન્સમાં (શ્રોતાઓમાં) હાસ્યનું મોજું ફરી વળ્યું હતું, તેથી ભૂપેન્દ્રભાઈ પટેલે માર્મિક ટકોર કરી હતી કે, તમે બધા હસો છો કેમ ? શું અમે આવીએ ત્યારે જ આવું બધું (સફાઈ અને સુશોભન વિગેરે) થાય છે...?
તે પછી તેમણે કહ્યું કે, જામનગરની સ્વચ્છતા વ્યવસ્થા સારી છે, પરંતુ જનતાના સહયોગની પણ એટલી જ જરૂર છે ! કેટલાક લોકોએ પણ જાહેરમાં કચરો ફેંકવા અને ગંદકી કરવાની પડી ગયેલી આદતો છોડવી પડે તેમ છે. તેમણે ફરીથી ટકોર કરી કે આજે છે, તેવીસ્વચ્છતા કાયમ જળવાશે, તેવી આશા રાખું છું.
અત્રે ઉલ્લેખનીય છે કે, "નોબત" ના તંત્રીલેખમાં ઉલ્લેખ કર્યો હતો કે, મુખ્યમંત્રીએ તેઓ આવે ત્યારે ખાસ સુશોભન, માર્ગ મરામત, સફાઈ થતી હોવાથી અચાનક અન્ય વિસ્તારોમાં પણ જવું જોઈએ...!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial