Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાઃ નગરપાલિકાના સાતેય વોર્ડમાંં ભાજપ દ્વારા બે તબક્કામાં સ્નેહમિલન

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૨૨: ખંભાળીયા નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ ૧ થી ૪ તથા વોર્ડ ૫ થી ૭નું સ્નેહમિલન બે તબક્કામાં યોજાયું હતું.

ખંભાળીયા શહેરમાં વોર્ડ નં. ૧ થી ૪ના સદસ્યો પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, કારોબારી ચેરમેન રેખાબેન ખેતિયા તથા સાંસદ પૂનમબેન માડમ, રાજ્યના પૂર્વ મંત્રી મૂળુભાઈ બેરા, જિલ્લા પ્રમુખ મયુરભાઈ ગઢવી, શહેર ભાજપ પ્રમુખ મિલનભાઈ કિરતસાતાની ઉપસ્થિતિમાં ખંભાળીયામાં યોજાયું હતું. જ્યારે વોર્ડ નં. ૫ થી ૭ ના સદસ્યો તથા આગેવાનો મતદારો તથા સ્થાનિકો, વિવિધ જ્ઞાતિના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ખાસ સંમેલન રામનાથ મહાદેવ મંદિરે ખંભાળીયામાં યોજાયું હતું.

પાલિકા સદસ્ય મહેશભાઈ રાડીયા દ્વારા રામનાથ મહાદેવ સંમેલનનું સ્વાગત પ્રવચન કરાયું હતું. તથા સંચાલન કિરીટ ખેતિયાએ કર્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh