Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં કોંગ્રેસ, એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શનઃ અટકાયત કરાઈ

મુખ્યમંત્રીના આગમન પહેલા

                                                                                                                                                                                                      

જામનગરમાં આજે મુખ્યમંત્રીના આગમન ૫હેલા એનએસયુઆઈના કાર્યકર્તાઓએ બીએલઓની કામગીરી સહિતના પ્રશ્ને વિરોધ પ્રદર્શન કર્યુ હતું. આથી પોલીસે તેઓની અટકાયત કરી હતી. રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે જામનગરના મહેમાન બનવાના હોવાથી કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા ડી.કે.વી. સર્કલમાં શિક્ષકોને બીએલઓની કામગીરીમાંથી મુક્ત કરવા, વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે ચેડા બંધ કરવા, આત્મહત્યા કરનાર બીએલઓના પરિવારને વળતર ચૂકવવા, બોર્ડની પરીક્ષા નજીક છે અને વર્ગખંડ શિક્ષક વગરના છે. તે તમામ મુદ્દે વિરોધ પ્રદર્શન કરતા પોલીસે તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ ડો. તૌસીફખાન પઠાણ, શક્તિસિંહ, મહિપાલસિંહ, રવિરાજસિંહ સહિતનાઓ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh