Advertisement
Author: નોબત સમાચાર

એસઆઈઆરની કામગીરી અંગે 'આપ'ના પ્રમુખે ઉઠાવ્યા સવાલો

બી.એલ.ઓ.ની આત્મહત્યાથી ચકચાર

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૨૨: રાજ્યમાં મતદાર સુધારણા યાદીના ગંભીર અને ઝડપી તથા કડક પગલાં ટેન્શન સાથેની કામગીરીમાં બે બીએલઓએ જીવ ખોતા ભાજપે ચૂંટણી જીતવાની લ્હાયમાં આ થયાના ગંભીર સવાલ રાજ્યના આપ પ્રમુખ ઈશુદાન ગઢવીએ ઉઠાવ્યા હતા. તેમણે જણાવેલ કે ગીર સોમનાથ જિલ્લામાં આ કામગીરીમાં એક બીએલઓ શિક્ષકે આત્મહત્યા કરી તથા સુસાઈડ નોટમાં પણ આ કામને જવાબદાર ગણ્યું છે. બીજા બનાવમાં કપડવંજમાં કામના ભારણથી હાર્ટએટેક આવતા એક બીએલઓનું મૃત્યુ થયું હતું. એસ.આઈ.આર.ની કામગીરી ઝડપથી પતાવવા ભાજપના નિર્ણય-દબાણથી બીએલઓ ટેન્શનમાં આવતા મૃત્યુ, આત્મહત્યા જેવા પગલાં લેવા માંડ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પાછી ઠેલાઈ તે માટે ભાજપ આ કામગીરી જલદી બતાવવા દબાણ કરે છે તથા શિક્ષકો પર આવું દબાણ ન કરવા વેકેશનમાં પણ આ કામગીરી થઈ શકે. હજુ પણ ઘણાં બીએલઓ ટેન્શનમાં કામ કરે છે. શિક્ષકોને ૯૦ જાતના કામો સોંપ્યા છે તો મુખ્ય કામ ભણાવવાનું ક્યારે કરશે ? પાંચ કરોડ મતદારોનું કાર્ય એક માસમાં બીએલઓ કઈ રીતે કરી શકે ?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh