Advertisement
Author: નોબત સમાચાર

જોડિયામાં પ૧મો શ્રી ગીતા જયંતી મહોત્સવ ઉજવાશે

વિશ્વ પ્રસિદ્ધ રામકથાકાર પ.પૂ. મોરારિબાપુના સાનિધ્યમાં

                                                                                                                                                                                                      

જોડિયા તા. ૨૪: જોડિયામાં વિશ્વ પ્રસિદ્ધ રામકથાધાર પ.પૂ. મોરારિ બાપુના સાનિધ્યમાં તા. ૩૦/૧૧ અને તા. ૧/૧ર સુધી પ૧ મા શ્રી ગીતા જયંતી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે, જેમાં ગીતા સંદેશ, હોમાત્મક પાઠક સહિતના કાર્યક્રમો યોજાશે.

જામનગર જિલ્લાના જોડિયામાં પ.પૂ. વિરાગમુનીજી સ્થાપિત શ્રી રામ કૃષ્ણ સાધના ટ્રસ્ટ શ્રી ગીતા વિદ્યાભવનમાં વિશ્વ પ્રસિદ્ધ કથાકાર પ.પૂ. મોરારિબાપુના પાવન સાનિધ્યમાં પ૧ મો શ્રી ગીતા જયંતી મહોત્સવ ઉજવાશે, જેમાં તા. ૩૦/૧૧ ને રવિવારે સાંજે ૪ થી ૭ વાગ્યા દરમિયાન સંતો અને કથાકારો દ્વારા સત્સંગ પ્રવચન કરવામાં આવશે.

તા. ૧/૧ર ને સોમવારે શ્રી ગીતા જયંતીના યુગ પર્વ દિને સવારે ૯-૩૦ વાગ્યાથી પ.પૂ. શ્રી મોરારિબાપુ ગીતા સંદેશ આપશે. શ્રી ગીતા વિદ્યાલયના બાળકો અને ભાવિકો દ્વારા સામૂહિક હોમાત્મક પાઠ અને અનુષ્ઠાન કરવામાં આવશે. સર્વે ભાવિકોને આ કાર્યક્રમનો લાભ લેવા શ્રી રામકૃષ્ણ સાધના ટ્રસ્ટ-શ્રી ગીતા વિદ્યાલય પરિવાર-જોડીયા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh