Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ.રર લાખના દાગીનાની એક આરોપીના પિતાએ કરી હતી ફરિયાદઃ
જામનગર તા. ૨૪: જામનગરના એક કોન્ટ્રાક્ટર યુવાનના બહેન સામે થોડા મહિનાઓ પહેલાં મેઘપર પોલીસ સ્ટેશનમાં રૂ.રર લાખના સોનાના દાગીનાની ચોરીની ફરિયાદ કરવામાં આવ્યા પછી અદાલતના આદેશથી રૂ.બારેક લાખના દાગીના મૂળ માલિકને પરત અપાયા હતા અને રૂ.૧૦ લાખ તે યુવતીને સોંપાયા હતા. તે બાબતનો ખાર રાખી કોન્ટ્રાક્ટર પર છ શખ્સે છરી-પાઈપથી પ્રાણઘાતક હુમલો કરી ફ્રેક્ચર કરી નાખ્યું હતું. પોલીસમાં તેની ફરિયાદ કરવામાં આવી છે.
જામનગરના સરૂ સેક્શન રોડ પર વસવાટ કરતા અને કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા હરદેવસિંહ ભીખુભા ભટ્ટી નામના યુવાન ગયા ગુરૂવારે રાત્રે પોતાના મિત્રો સાથે હવાઈચોક નજીક આવેલા પેટ્રોલપંપવાળા ઢાળીયા પાસે એક હોટલે આવ્યા હતા. ત્યારે લાલપુર તાલુકાના મેઘપર ગામના મહેન્દ્રસિંહ કિશોરસિંહ પીંગળ અને મયુર રામાવત નામના શખ્સો આવ્યા હતા.
આ શખ્સોએ પોતાના સાગરિત ચિરાગ ભાનુશાળી, વંશરાજસિંહ રૂપસંગ પીંગળ, દુષ્યંતસિંહ ભરતસિંહ પીંગળ, મીતરાજસિંહ રૂપસંગ પીંગળ સાથે મળી પાઈપ, છરી વડે હુમલો કરી હરદેવસિંહને આડેધડ માર માર્યાે હતો. જેમાં મયુર રામાવતે ઝીંકેલા પાઈપના ફટકાથી હરદેવસિંહ પડી ગયા પછી તમામ વ્યક્તિ તેમના પર તૂટી પડતા પગમાં ફ્રેક્ચર થઈ જતાં અને હાથમાં છરીનો ઘા વાગી જતા હરદેવસિંહને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ હુમલામાં હરદેવસિંહ નો રૂ.૫૦ હજારનો સેમસંગ કંપનીનો ફોન તોડી નાખવામાં આવ્યો હતો. સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે તમામ છ હુમલાખોર સામે હત્યા પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ થોડા મહિનાઓ પહેલાં હરદેવસિંહના બહેન ખુશ્બુબા ભીખુભા સામે મેઘપર ગામના કિશોરસિંહ પીંગળે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને તેમાં જણાવ્યંુ હતું કે, આ યુવતીએ તેણીના ઘરમાંથી રૂ.રર લાખના સોનાના દાગીનાઓની ચોરી કરી છે. પોલીસે તેની તપાસમાં રૂ.૧૦ લાખ રોકડા તથા જે ઘરેણા હરેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ જાડેજાને વેચ્યા હતા. તે ઘરેણા કબજે કરી આગળની કાર્યવાહી કરી હતી.
ત્યારપછી અદાલતમાં તે ઘરેણા સહિતનો મુદ્દામાલ પરત મેળવવા અરજી કરાતા અદાલતે કબજે થયેલા ઘરેણા કિશોરસિંહને પરત સોંપી આપવા અને રૂ.૧૦ લાખ ખુશ્બુબાને પરત આપવા હુકમ કર્યાે હતો. તે રકમ ખુશ્બુબાને પરત મળતા વેરના વાવેતર થયા હતા અને તે બાબતનો ખાર રાખી ગુરૂવારની રાત્રે હરદેવસિંહ પર કિશોરસિંહના પુત્ર મહેન્દ્રસિંહ સહિતના છ વ્યક્તિએ હુમલો કરી માર માર્યાે હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial