Advertisement
Author: નોબત સમાચાર

રિક્ષામાં ભૂલાઈ ગયેલો થેલો પરત અપાવતી દ્વારકા નેત્રમ શાખા ટીમ

રિક્ષાના નંબર મેળવી તેના માલિકનો સંપર્ક કરાયોઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા શહેરની શ્રીજી સોસાયટીમાં વસવાટ કરતા રાજુભાઈ જેસાભાઈ ચાવડા નામના વ્યક્તિ ગઈ તા.૧૬ના દીને બહારગામથી ખંભાળિયા આવ્યા પછી રાત્રે સાડા બારેક વાગ્યે મિલન ચાર રસ્તા પાસેથી રિક્ષામાં ઉતર્યા હતા.  આ વેળાએ ઉતાવળમાં તેઓનો એક થેલો રિક્ષામાં રહી જવા પામ્યો હતો. આ બાબતની દેવભૂમિ દ્વારકા નેત્રમ શાખાને જાણ કરવામાં આવતા પીઆઈ જે.જે. ચૌહાણ તથા ઈન્ચાર્જ એસ.વી. કાંબલીયાની સૂચનાથી હરકતમાં આવેલી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની ટીમે સીસીટીવી ફૂટેજ ચકાસ્યા પછી રિક્ષાના નંબર મેળવ્યા હતા અને તે રિક્ષાચાલકને શોધી થેલો મૂળ માલિકને પરત સોંપાવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh