Advertisement
Author: નોબત સમાચાર

દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું ૮૯ વર્ષની વયે નિધન

અહેવાલો કન્ફર્મ થયાઃ નિવાસસ્થાને તથા વિલે પાર્લે સ્મશાન ગ્રુહે સુરક્ષા વધારાઈ

                                                                                                                                                                                                      

મુંબઈ તા. ૨૪: સમાચાર એજન્સી અનુસાર પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું આજે ૮૯ વર્ષની વયે નિધન થયું છે. તેઓ બોલિવૂડમાં હી-મેનના નામથી પ્રખ્યાત હતા. તેમના નિધનથી સિનેમા જગતમાં શોકની લહેર પ્રસરી છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા. હાલમાં જ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને ઘરે જ તેમની સારવાર ચાલી રહી હતી.

દિગ્ગજ એકટર ધર્મેન્દ્રનું નિધન થયું છે. ઘણાં દિવસોથી ઘર પર જ તેમની સારવાર ચાલી રહી હતી. આ દરમ્યાન પરિવાર વચ્ચે દેઓલ હાઉસમાં તેમને અંતિમ શ્વાસ લીધા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થતા તા. ૩૧ ઓક્ટોબરે રાત્રે મુંબઈની બ્રીચકેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ૧૨ નવેમ્બરે તેમને રજા આપવામાં આવી તે પહેલા

 તેમણે ઘણાં દિવસો સુધી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. એવામાં તા. ૧૧ નવેમ્બરે તેમના મૃત્યુની ખોટી અફવાઓ વ્યાપકપણે ફેલાઈ હતી, જેના કારણે તેમના પત્ની અને એકટ્રેસ હેમા માલિની અને દીકરી ઈશા દેઓલે નિવેદનો આપીને પુષ્ટિ કરી હતી કે તેઓ જીવિત છે. અને સ્વસ્થ થઈ રહ્યા છે.

આજે ધર્મેન્દ્રના નિધનના સમાચારો આવ્યા પછી વિલે પાર્લે સ્મશાનગૃહની સુરક્ષા વધારી દેવામાં આવી છે, તથા તેમના નિવાસસ્થાને પણ બંદોબસ્ત ગોઠવાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh