Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે વખત કસુવાવડ થઈ જતાં આત્મહત્યા કરી લીધીઃ
જામનગર તા. ૨૪: ધ્રોલના નાના વાગુદળ ગામમાં મજૂરીકામ માટે આવીને રહેતા એક પરિણીતાએ બે વખત કસુવાવડ થઈ જતા અને સંતાન સુખ પ્રાપ્ત ન થતાં માઠું લાગી આવતા ફાંસો ખાઈ આત્મહત્યા વ્હોરી લીધી છે.
ધ્રોલ તાલુકાના નાના વાગુદળ ગામની સીમમાં આવેલા વિજયસિંહ પ્રભાસંગ નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા અશોકભાઈ કાનાભાઈ વાઘેલા નામના ભીલ યુવાનના પત્ની મધુબેન (ઉ.વ.૨૩)ને અગાઉ બે વખત કસુવાવડ થઈ ગઈ હતી. ત્યારપછી મધુબેનને અવારનવાર આ બાબતનું માઠું લાગી આવતું હતું.
તેણીએ શનિવારે બપોરે સાડા બારેક વાગ્યે તે ખેતરમાં બનાવી આપવામાં આવેલા રહેણાકમાં રહેલા પતરાના એંગલમાં દોરડા વડે ગાળીઓ બનાવી ગળાફાંસો ખાઈ લીધો હતો. આ પરિણીતાનું શ્વાસ રૃંધાઈ જવાથી મૃત્યુ નિપજ્યું છે. તેણીના પતિ અશોકભાઈ વાઘેલાનું પોલીસે નિવેદન નોંધ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial