Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટેન્ડર મંજુર થતા ટૂંક સમયમાં કામ શરૂ થશેઃ
ખંભાળિયા તા. ર૪: દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકામાં ગોમતી નદીથી પંચકૂઈ જવા માટે સુદામા સેતુનું નિર્માણ રિલાયન્સ દ્વારા કરવામાં આવેલું, પરંતુ મોરબી પુલ દુર્ઘટનાના પગલે આ પુલ ઘણાં લાંબા સમયથી લોકોને જવા-આવવા માટે બંધ કરી દેવાતા ગોમતીથી પંચકૂઈ જવા લોકોને ખૂબ પરેશાની રહેતી હતી.
આ પુલનું નવીનિકરણ કરવા માટે સરકારમાંથી ૧૪.૧૧ કરોડના ખર્ચે અદ્યતન નવો પુલ બનાવવા કામગીરી મંજુર કરવામાં આવેલી જેમાં ૯.૧૧ કરોડ યાત્રાધામ વિકાસ સમિતિ તથા પાંચ કરોડ દ્વારકા દેવસ્થાન સમિતિ દ્વારા ફાળવાયેલા આ કામ માટેનું ટેન્ડર ગત્ વર્ષે આ પુલ બનાવેલ તે જ કંપનીનું મંજુર થતા થોડા સમય પહેલા જ પી.ડબલ્યુ.ડી. તંત્ર દ્વારા કંપનીને વર્ક ઓર્ડર અપાતા થોડા સમયમાં જ કામ ચાલુ થશે.
ઉલ્લેખનિય છે કે, હાલના સુદામા સેતુ પુલનું તમામ સુપર કન્સ્ટ્રક્શન દૂર કરીને સ્ટેનલેશ સ્ટીલનો કેબલ બ્રિજ નવો બનશે. હાલના પુલના પાયાના પીલર રખાશે તેનું સ્ટેનલેશ સ્ટીલની મજબૂતિકરણ કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial