Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વર્ષ-૧૯૬ર માં ૧૩૦૦ ચીની સૈનિકોનો સંહાર કરીને
દ્વારકા તા.૧૭ઃ ૧૯૬ર ચીન સામે યુદ્ધમાં ૧૩૦૦ થી વધારે ચીનના સૈનિકોને મોતને ઘાટ ઉતારીને ૧૧૪ વીર આહિર સૈનિકો દેશ માટે વીરગતિ પામ્યા હતાં. એ વીર આહિર સૈનિકોની યાદમાં તેમને શ્રદ્ધાંજલિ આપવા દેશમાં પ્રથમ વખત આહિર સેના ગુજરાત દ્વારા દ્વારકાધીશ જગતમંદિરના શીખર પર તા. ૧૮-૧૧-ર૩ ના શનિવારે લાભ પાંચમના શુભ દિવસે ભગવાન શ્રી દ્વારકાધીશ જગતમંદિરના શિખર પર ધ્વજા આરોહણ કરવામાં આવશે.
સન ૧૯૬ર માં રેજાગ લામાં વીર શહીદોએ પોતાના પ્રાણોની આહુતિ આપી દેશભૂમિની રક્ષા કરી હતી, તેથી વીરશહીદોને શ્રદ્વાંજલિ આપવા અને આહિરના હીર આહિર સેનાના યુવાનોને પ્રોત્સાહિત કરવા આહિર સેના ગુજરાત દ્વારા આયોજીત શૌર્ય દિવસે તા. ૧૮-૧૧-ર૩ શનિવાર લાભ પાંચમના અખીલ ભારતીય આહિર સમાજ, ચરકલા રોડ દ્વારકામાં કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્રમ અંતર્ગત સવારે ૧૦-૩૦ કલાકે કુરંગા ગામ ટોલનાકાથી આહિર સમાજ દ્વારકા સુધી કાર રેલી યોજાશે. બપોરે ૧ વાગ્યે મહાપ્રસાદ અને ર વાગ્યે ધ્વજાજીનું પૂજન કરી, આહિર સમાજ વાડાથી દ્વારકાધીશ જગતમંદિર સુધી ધ્વજાજીને લઈને ધ્વજારોહણ કરવામાં આવશે. સાંજે ૭ કલાકે ફરી મહાપ્રસાદ બાદ એકસ આર્મીમેનો તથા પત્રકારોનું સન્માન કરવામાં આવશે. તેમજ શૌર્ય દિવસ નિમિત્તે કેન્ડલ પ્રજવલિત કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. સાથે જિલ્લા તાલુકાની ટીમોની જાહેરાત તથા નિમણૂક પત્રો એનાયત કરાશે.
રાત્રે ૯ વાગ્યાથી ભવ્ય લોકડાયરા કાર્યક્રમ અંતર્ગત લોક સાહિત્યકાર રાજુભાઈબ આહિર, લોક સાહિત્યકાર રવિભાઈ આહીર, લોક સાહિત્યકાર સુભાષભાઈ જળુ, લોક ગાયિકા ખુશીબેન આહિર, એન્કર મેકસ આહિર દ્વારા લોકડાયરો યોજી જાહેર જનતાને મોજ કરાવશે. આ કાર્યક્રમમાં જાહેર જનતાને લાભ લેવા આહિર સેના ગુજરાતના પ્રતિનિધિ રામભાઈ ગોજીયાએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial