Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માથામાં ગંભીર ઈજા થતાં વેપારી સારવારમાંઃ
જામનગર તા. ૧૭ઃ જામનગરના રતનબાઈ મસ્જિદ વિસ્તારમાં ગઈરાત્રે કચરો ફેંકવાની બાબતે એક વેપારી પર તિક્ષણ હથિયારથી હુમલો કરાતા આ વેપારીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જામનગરના રતનબાઈ મસ્જિદ વિસ્તારમાં આવેલી ગણેશ ફળીમાં રહેતા હિતેશ ભાઈલાલ ગુસાણી નામના વેપારી પર ગઈરાત્રે છરી જેવા તિક્ષણ હથિયાર વડે હુમલો કરવામાં આવતા લોહીલુહાણ બની ગયેલા આ વેપારીને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કચરો ફેંકવાની બાબતે થયેલી બોલાચાલી પછી આ વેપારી પર હુમલો કરાયાનું જાણવા મળી રહ્યું છે. માથામાં ગંભીર ઈજા પામેલા આ વેપારીએ પોલીસમાં ફરિયાદ કરવાની તજવીજ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial