Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૧૭ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા દીવાળીના પર્વે જિલ્લા પોલીસ વડા નિતેશકુમાર પાંડે, એએસપી રાઘવકુમાર જૈન તથા ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ શહીદ પોલીસ તથા આર્મી જવાનોના પરિવારોને તેમજ કોરોનામાં માર્યા ગયેલા કર્મચારી પરિવારોને મીઠાઈ વિતરણ થયું હતું.
સલાયા મરીન પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી.આઈ. શીંગરમીંયા તથા સ્ટાફ દ્વારા જિલ્લાના પાંચ શહીદ થયેલ આર્મી તથા પોલીસ જવાનોના પરિવારોને મીઠાઈ વિતરણ કરાયું હતું. જામરાવલ ગામે ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ દ્વારા કોરોના રોગમાં માર્યા ગયેલા પોલીસકર્મી પરિવારોને મીઠાઈ વિતરણ કર્યુ હતું.
દ્વારકા તાલુકાના મીઠાપુર પોલીસ સ્ટેશનની 'સી' ટીમ દ્વારા મીઠાપુરમાં ઝુંપડપટ્ટીમાં રહેતા પરિવારોને શુભકામના સાથે મીઠાઈ વિતરણ કરીને 'સી' ટીમની કામગીરી અંગે તથા હેલ્પલાઈન નંબરોની કામગીરી અંગે જાણકારી આપવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial