Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકોના પરિવાજનોને અપાશે પાંચ-પાંચ લાખ રૃપિયાની સહાય
શ્રીનગર તા. ૧૭ઃ જમ્મુ-કાશ્મીરના ડોડામાં બસ ખીણમાં પડતા ૩૮ ના મોત થયા છે, જ્યારે ર૦ ઘાયલ થયા છે મૃતકના પરિવારજનોને પાંચ-પાંચ લાખ રૃપિયાની સહાયની જાહેરાત કરાઈ છે.
જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં મુસાફરોને લઈ જતી બસ ૩૦૦ ફૂટ ઊંડી ખીણમાં પડી જતાં ઓછામાં ઓછા ૩૮ લોકો માર્યા ગયા હતા અને ર૦ લોકો ઘાયલ થયા હતાં.
અધિકારીઓએ જણાવ્યું હતું કે બસ ત્રંગલ-અસાર પાસે બટોટે-કિશતવાડ હાઈવે પરથી સરકી ગઈ હતી અને ૩૦૦ ફૂટ નીચે પડી હતી. બચાવ કામગીરી શરૃ કરવામાં આવી છે અને કેટલાક મૃતદેહોને પણ બહાર કાઢવામાં આવ્યા છે. જમ્મુ અને કાશ્મીરના આંતનાગના સંસદસભ્ય કેન્દ્રીય પ્રધાન જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે અકસ્માત સ્થળેથી જિલ્લા કલેકટર હરવિંદરસિંહ તરફથી અપડેટ મળતા દુઃખ થયું. કમનસીબે ૩૮ લોકોના મોત થયા છે અને ર૦ ઘાયલ થયા છે. એમાંથી ૬ ઘાયલોની હાલત ગંભીર છે. ઘાયલોને જીએમસી ડોડા અને જીએમસી જમ્મુમાં ખસેડવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આ ઘટના પર શોક વ્યકત કર્યો હતો. મોદીએ એક્સ પર લખ્યું હતું કે જમ્મુ-કાશ્મીરના ડોડામાં બસ-દુર્ઘટના દુઃખદાયક છે જે પરિવારોએ તેમના નજીકના લોકોને અને પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના છે. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો વહેલામાં વહેલી તકે સાજા થાય. મળતા અહેવાલો મુજબ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરીવારોને પાંચ-પાંચ લાખ રૃપિયાની સહાય આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial