Advertisement
Author: નોબત સમાચાર

પત્ની સાથે થતાં કંકાસથી કંટાળી જઈ શ્રમિકે વિષપાન કરી વ્હોરી આત્મહત્યા

કાલાવડના મોટી વાવડીમાં ખેતરમાં બન્યો બનાવઃ

જામનગર તા. ૧૭ઃ કાલાવડના મોટી વાવડી ગામમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મહિસાગર જિલ્લાના એક શ્રમિકે ધોકાના દિવસે પત્ની સાથે બોલાચાલી થયા પછી માઠું લાગી આવતા ઝેરી દવા પી લીધી હતી. આ યુવાનનું સારવારમાં મૃત્યુ થયું છે. પોલીસે મૃતકના પિતાનું નિવેદન નોંધ્યું છે.

કાલાવડ તાલુકાના મોટી વાવડી ગામમાં આવેલા રમેશભાઈ રણછોડભાઈ અજુડીયા નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ઉબેર ગામના વતની પ્રવીણભાઈ મનુભાઈ મઈડા નામના ત્રેવીસ વર્ષના યુવાને ધોકાના દિવસે કોઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી.

આ યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યા પછી તેઓનું મૃત્યુ નિપજ્યાનું પિતા મનુભાઈ ગજાભાઈ મઈડાએ પોલીસમાં જાહેર કર્યું છે. તેઓએ પોલીસને જણાવ્યા મુજબ મનુભાઈ તેમજ તેમના પુત્ર પ્રવીણભાઈ અને પ્રવીણભાઈના પત્ની સહિતના પરિવારજનો ઉપરોક્ત ખેતરમાં કપાસ વીણવાનું કામ કરતા હતા. ત્યારે પ્રવીણને અવારનવાર પત્ની સાથે બોલાચાલી થતી હતી અને ધોકાના દિવસે પણ ફરીથી બોલાચાલી થતાં માઠું લાગી આવવાથી પ્રવીણભાઈએ વિષપાન કરી લીધુ હતું. પોલીસે નિવેદન પરથી અપમૃત્યુની નોંધ કરી તપાસ શરૃ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh