Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિભાપરમાં પ્લોટ ખરીદવાનો મામલોઃ
જામનગર તા.૧૮: જામનગરના એક આસામીએ વિભાપરમાં ચાર પ્લોટ ખરીદવા આપેલી રકમ બિલ્ડર પાસેથી પરત મેળવવા ચેક લીધો હતો. તે ચેક પરત ફરતા અદાલતનો આશરો લેવાયો હતો. તે પછી આ કેસમાં આરોપી હાજર ન થતાં અદાલતે તેની સામે વોરંટ કાઢવાનો હુકમ કર્યાે છે.
જામનગરના છત્રગીરી કલ્યાણગીરી ગોસ્વામી નામના આસામીએ વિભાપરમાં રે.સ. નં.૭૦ પૈકી-૧ની ખેતીની જમીન બિનખેતી થયા પછી તેમાંથી પ્લોટ નં.૧૩, ૧૪, ૧૫, ૧૬ ખરીદવા માટે પ્રતાપ દુદાભાઈ ગોરાણીયા નામના બિલ્ડર સાથે નક્કી કર્યા પછી રૃા.૨૬,૨૯,૪૦૦ ચૂકવ્યા હતા. બિલ્ડરે ટાઈટલ ક્લિયર થયા પછી દસ્તાવેજ કરી આપવા ભરોસો આપ્યો હતો.
તે પછી બિલ્ડર દસ્તાવેજ કરી આપતો ન હોય, છત્રગીરીએ તપાસ કરાવતા તે પ્લોટ બીજાને વેચી નાખવામાં આવ્યો હોવાની જાણકારી મળતા તેઓએ બિલ્ડર સાથે વાત કરી હતી અને બિલ્ડરે તેઓની રકમ પરત આપવા ચેક આપ્યો હતો. તે ચેક મુદ્દત મુજબ બેંકમાં જમા કરાવાતા પરત ફર્યાે હતો. આથી નોટીસ પાઠવાઈ હતી પરંતુ તે રકમ નહીં ચૂકવાતા આખરે છત્રગીરીએ બિલ્ડર પ્રતાપ દુદાભાઈ ગોરાણીયા સામે અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસમાં સમન્સ બજી જવા છતાં આરોપી અદાલતમાં હાજર ન થતાં તેની સામે વોરંટ જારી કરવામાં આવ્યું છે. ફરિયાદી તરફથી વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, હરદેવસિંહ ગોહિલ રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial