Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૮ઃ જામનગરના બૌદ્ધ સમાજ દ્વારા બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. સમાજના ઉપપ્રમુખ મેઘજીભાઈ સીંગરખીયાની આગેવાની હેઠળ 'શાંતિ સંદેશ યાત્રા' યોજાઈ હતી. જેમાં વિશાળ સંખ્યામાં લોકો સફેદ વસ્ત્રો ધારણ કરીને જોડાયા હતાં. આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી લાલબંગલા સર્કલમાં ડો. આંબેડકર પ્રતિમા પાસે સંપન્ન થઈ હતી. બૌદ્ધ સમાજના પ્રમુખ કનુભાઈ ગોહીલ, માજી પ્રમુખ જીવાભાઈ ગચ્છર, ઉપપ્રમુખ મેઘજીભાઈ સીંગરખીયાએ ભગવાન બુદ્ધના તૈલી ચિત્ર સમક્ષ બુદ્ધ વંદના કરી હતી.
કાલાવડના અશ્વજીત પ્રિયદર્શી, નેશનલ બ્રધર્સ હુડ ગુજરાતના કન્વીનર રમેશભાઈ, મુક્તિદૂત માસિકના તંત્રી એન.વી. ગોહીલ, કુ. વંદનાબેન ચૌહાણ, હંસાબેન ગોહીલ વિગેરેએ પ્રાસંગિક પ્રવન કર્યા હતં. વિજયાબેન બૌદ્ધે ગીત રજૂ કર્યુ હતું. કનુભાઈ ગોહીલે અધ્યક્ષસ્થાનેથી મંતવ્ય રજુ કર્યુ હતું. આ શોભાયાત્રામાં ખીમજીભાઈ ચૌહાણ, નિલેશ વાનખેડે, અવધૂતભાઈ સેવાળે, કમલેશભાઈ ચાવડા, જીવરાજભાઈ સીંગરખીયા, કાળુભાઈ પીંગળસુર, દિનેશભાઈ પરમાર, રણછોડભાઈ મકવાણા, જીતુભાઈ કંટારીયા, કિશોરભાઈ પરમાર, રસીલાબેન ગોહીલ, સવિતાબેન યાદવ, વિલાસબેન કંટારીયા, લીલાબેન વાઘેલા, નર્મદાબેન ચૌહાણ, રેખાબેન રાઠોડ, લાલપુરના આરીખાણાના સુનિલબેન પટેલ જોડાયા હતાં. વિનુભાઈ રાઠોડ, વસંત પરમાર, અનિલ કંટારીયાએ જહેમત ઉઠાવી હતી. સંચાલન મિલીન્દભાઈ મકવાણાએ કર્યુ હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial