Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આત્મહત્યાઓની ૫ાછળના કારણને જાણવા તપાસઃ
જામનગર તા.૧૮ ઃ જામનગરના ધરારનગર-ર વિસ્તારમાં રહેતા એક પરિણીતાએ ગઈકાલે વહેલી સવારે પોતાના ઘરમાં ન્હાવાની ચોકડીમાં ચૂંદડી વડે ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવ્યું છે. જ્યારે વસઈ ગામમાં એક પરિણીતાએ અગમ્ય કારણથી ગળાટૂંપો ખાઈ લઈ જિંદગીનો અંત આણ્યો છે. પોલીસે બંને બનાવની ઉંડાણપૂર્વકની તપાસ શરૃ કરી છે.
જામનગરના સરૃ સેક્શન રોડની સામેના ભાગમાં આવેલા ધરારનગર-ર વિસ્તારમાં અબુ હનીફા મસ્જિદ પાસે રહેતા મુમતાઝબેન એજાઝભાઈ રફાઈ ઉર્ફે બબુબેન નામના ચોત્રીસ વર્ષના મહિલાએ ગઈકાલે સવારે પોતાના ઘરે સ્નાન કરવાની ચોકડીમાં ઉપરના ભાગમાં આવેલી લાકડાની આડીમાં ચૂંદડી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. જેની તેમના પરિવારને જાણ થતાં પોલીસને વાકેફ કરાઈ હતી. દોડી ગયેલા પોલીસ કાફલાએ મૃતદેહનો કબજો સંભાળી પી.એમ.માં ખસેડ્યો હતો.
ત્યારપછી જોડિયાની વકીલ શેરીમાં રહેતા જાહીદાબેન યુનુસભાઈ કાતીયારનું પોલીસે નિવેદન નોંધ્યું છે. સિટી-બી ડિવિઝનના પીઆઈ એચ.પી. ઝાલાએ બનાવથી સિટી ડીવાય એસપીને વાકેફ કરતા તેઓએ તપાસ શરૃ કરી છે.
જામનગર તાલુકાના વસઈ ગામમાં સોઢા ફળીમાં રહેતા અર્પિતાબા ધર્મેન્દ્રસિંહ જાડેજા નામના અઠ્ઠયાવીસ વર્ષના પરિણીતાએ ગઈકાલે સવારે પોતાના ઘરની સામે આવેલા ગુલાબભાઈના મકાનમાં છાપરામાં ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવી લીધુ છે. તેઓએ કોઈ અગમ્ય કારણ કે કોઈ બીમારીથી ગળાફાંસો ખાધો હોવાનું પતિ ધર્મેન્દ્રસિંહ વેલુભા જાડેજાએ પોલીસ સમક્ષના નિવેદનમાં જણાવ્યું છે. સિક્કાના પીએસઆઈ એ.વી. સરવૈયાએ મૃતદેહને પી.એમ.માં મોકલી તપાસ આદરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial