Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૮ઃ જામનગરમાં તાપમાનનો પારો નીચે તરફ સરકતો જાય છે. સાથે પવનની ઝડપ સામાન્ય કરતા વધુ રહેતા ગરમીમાં રાહત જોવા મળી રહી છે, જો કે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ રહેતા લોકો બફારાથી અકળાઈ રહ્યા છે.
જામનગરમાં ગઈકાલે સવારે ૩૬ ડીગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે આજે સવારે ૩પ.પ ડીગ્રી તાપમાન નોંધાયું છે. આમ અડધો ડીગ્રીનો ઘટાડો નોંધાતા ગરમીમાં આંશિક રાહત મળી હતી.
જામનગરમાં આજે સવારે છેલ્લા ર૪ કલાકમાં નોંધાયેલ તાપમાન મુજબ મહત્તમ તાપમાન ૩પ.પ ડીગ્રી અને ન્યૂનતમ તાપમાન ર૭ ડીગ્રી નોંધાયું હતું, જ્યારે ભેજનું પ્રમાણ મહત્તમ ૭૭ ટકા અને પવનની ઝડપ પ્રતિકલાકના ૩૦ થી ૩પ કિ.મી. અને વધીને ૪૦ કિ.મી.ની નોંધાઈ હતી.
આમ સરેરાશ કરતા વધુ ઝડપે ફૂંકાતો પવન અને ઘટતા તાપમાનથી લોકોને ગરમીમાં રાહત મળી છે, પરંતુ ભેજનું પ્રમાણ ઊંચુ જળવાતા ઉકળાટ અને બફારો લોકોને અકળાવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial