Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયામાં પુલનું કામ પૂર્ણ થતા અડધો રેલવે સ્ટેશન રોડ ખૂલ્લો કરાયો

થોડું કામ હજુ બાકી હોવા છતાં

ખંભાળીયા તા. ૧૮ઃ ખંભાળીયા શહેરમાં તેલી નદીના કાંઠા નજીક પાળેશ્વર મંદિર પાસે છેક નવાપરાથી પૂર, વરસાદ તથા ગટરનું પાણી આવતું હોય તેનો નિકાલ ના થતાં ચોમાસામાં વરસાદને કારણે તથા વારંવાર ગટરના પાણીના નિકાલ માટે ખંભાળીયા પાલિકા દ્વારા લાખોના ખર્ચે આ પુલના નાળા પહોળા કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અત્યંત ટ્રાફિકવાળા આ રસ્તા પર આ કામગીરીથી રસ્તો બંધ હતો જે અંગે પાલિકા ચીફ ઓફિસર યશવંતસિંહ વાઘેલા તથા પાલિકા ઈજનેર એન.આર. નંદાણીયા દ્વારા કામગીરી કરાવીને ગટરના પાણીના નિકાલ તથા વરસાદી પાણીના નિકાલનું આયોજન થાય તે રીતે રસ્તો કરતા હવે આ રસ્તો ખૂલ્લો કરાયો છે. હાલ થોડું સાઈડમાં કામ બાકી હોવા છતાં એક મોટું વાહન નીકળે તેટલો રસ્તો ખૂલ્લો કરાયો છે જે પછી આખો રોડ ખૂલ્લો કરી દેવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh