Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંત કૃષ્ણમણિજી મહારાજ, સાંસદ પૂનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી સહિતના મહાનુભાવોના હસ્તે થયું ઉદ્ઘાટનઃ ચાર દિવસ ચાલશેઃ
જામનગર સ્થિત રાષ્ટ્રીય મહત્ત્વનું સંસ્થાન એવી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટીચીંગ એનડ રિસર્ચ ઈન આયુર્વેદ (ઈટ્રા) દ્વારા લોકોના સ્વાથ્ય્ને મજબૂત કરવા અને મિલેટ્સ (શ્રીધાન્ય) ને લોકભોગ્ય બનાવવા માટે 'સ્વાસ્થ્ય અને શ્રીધાન્ય મેળો-ર૦ર૩'નું આયોજન કરવામાં આવ્યું છે. જેનો શુભારંભ આજે સવારે કરવામાં આવ્યો હતો. શહેરના ધન્વન્તરિ ગ્રાઉન્ડમાં આ મેળાનું ઉદ્ઘાટન પૂ. ૧૦૮ શ્રી કૃષ્ણમણિજી મહારાજ (શ્રી પાન-નવતનપુરી ધામ-ખીજડા મંદિર-જામનગર), સાંસદ પૂનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમસીભાઈ ચનિયારા, ઈત્રાના ડાયરેક્ટર પ્રો. વૈદ્ય અનુપ ઠાકર વગેરેના હસ્તે કરવામાં આવ્યું હતું. આજથી શરૃ થયેલ આયુર્વેદ મેળો, એક્સ્પો ચાર દિવસ ચાલનાર છે. અહિં આવનાર મુલાકાતીઓને સવારે ૧૦ થી ૧ અને સાંજે ૪ થી ૭ સુધી સ્વાસ્થ્ય પરીક્ષણ કરી આપવામાં આવશે. પ્રકૃતિ પરીક્ષણ અને જીવનશૈલી. સાથે યોગનું પ્રત્યક્ષ નિદર્શન-માર્ગદર્શન આપવામાં આવશે. ખાણી-પીણીના સ્ટોલ સિવાય તમામ સુવિધા નિઃશુલ્ક છે. વાનગી પ્રત્યે દિવાનગી ધરાવતા લોકોએ એક વખત આ મેળા-એકસ્પોની મુલાકાત લેવી જરૃરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag