Advertisement
Author: નોબત સમાચાર

રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ચાર ટ્રેનો ડાઈવર્ટ રૃટ પરથી દોડશે

ડબલ ટ્રેકની કામગીરીના કારણે

રાજકોટ તા. ૧૮ઃ લખનૌ ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને લીધે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ચાર ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરાયેલ રૃટ પર દોડશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી સુનિલકુમાર મીનાના જણાવ્યા અનુસાર ટ્રેન નં. ૧પ૬૩૬ ગુવાહાટી-ઓખા એક્સપ્રેસ ર૦-૩-ર૦ર૩ ના રોજ અને ટ્રેન નં. ૧પ૬૩પ ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ ર૪-૩-ર૦ર૩ ના વાયા વારાણસી-પરતાપગઢ-લખનૌ થઈને આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૃટ પર દોડશે. જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં અકબરપુર અને અયોધ્યા કેન્ટનો સમાવેશ થાય છે.

ટ્રેન નં. ૧પ૬૬૮ કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ રર-૩-ર૦ર૩ ના રોજ અને ટ્રેન નં. ૧પ૬૬૯ ગાંધીધામ-કામાખ્યા એક્સપ્રેસ ૧૮-૩-ર૦ર૩ ના વાયા વારાણસી-લખનૌ થઈને આંશિક રીતે ડાયવર્ટ કરાયેલ રૃટ દ્વારા ચાલશે. જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં અયોધ્યા કેન્ટનો સમાવેશ થાય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh