Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અખિલ ભારતીય સફાઈ મજદુર કોેંગ્રેસ યુનિયન દ્વારા
જામનગર તા. ૧૮ઃ જામનગર મહાનગરપાલિકામાં કાયમી સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા કામદારો માટે નવી વર્ધિત પેન્શન યોજના લાગુ કરવામાં આવી છે તે બંધ કરી જુની યોજના ચાલુ રાખવા કમિશનર સમક્ષ રજુઆત કરવામાં આવી છે. અખિલ ભારતીય સફાઈ મજદુર કોંગ્રેસ યુનિયનના પ્રમુખ હરીશ ચૌહાણ વગેરેએ આ રજુઆતમાં જણાવ્યું છે કે જામનગર મહાનગરપાલિકામાં વર્ષ ર૦૦પ પછી સફાઈ કામદારોને કાયમી કરવામાં આવ્યા છે. તેમને નવી વર્ધિત પેન્શન યોજના ચલાવાઈ રહી છે. જેનાથી સફાઈ કામદારોને નુકસાન થઈ રહ્યું છે. આ યોજનામાં ૬૦ ટકા કામદારોના પૈસા કાપવામાં આવે છે અને ઓછું વ્યાજ આપતી બેન્કમાં જમા કરાવવામા આવે છે. પગારમાંથી સીપીએફના પૈસા પણ કાપવામાં આવે છે પરંતુ મહાનગરપાલિકા દ્વારા તે પૈસા જમા કરાવાતા નથી. આથી નવી યોજનાના બદલે જુની પેન્શન યોજના અમલમાં લાવવી જોઈએે. આ મુદ્દે જરૃર પડ્યે કોર્ટમાં ન્યાય માંગવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag