Advertisement
Author: નોબત સમાચાર

બેડેશ્વરમાં કરિયાણાની દુકાનમાં આગઃ પાંચ લાખનું નુકસાન

વીજ મીટરમાં શોર્ટ સર્કીટનું વિધાન ફેરવવા દોડધામઃ

જામનગરના બેડેશ્વરમાં આવેલી સદ્ગુરૃ પ્રોવિઝન સ્ટોર્સ નામની દુકાનમાં રાત્રે બેએક વાગ્યે વીજ મીટરમાં શોર્ટ સર્કીટ થતાં આગ ભભૂકી હતી. જેની જાણ થતાં દુકાન માલિક તેમજ ફાયરબ્રિગેડનો કાફલો ધસી આવ્યો હતો. તે વિસ્તારમાં વીજ પુરવઠો બંધ કરવા માટે અને તે પછી અગ્નિશમન શરૃ કરવા માટે વીજ કંપનીને જાણ કરાઈ હતી પરંતુ કોઈ કારણથી અન્ય વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરાયો હતો અને તે પછી ભૂલ સમજાતા બેડેશ્વરનો વીજ પુરવઠો રોકવામાં આવ્યો હતો. તે દરમિયાન દુકાનમાં રહેલી ચીજવસ્તુઓ, ફર્નિચર સળગીને ખાખ થઈ જતાં રૃપિયા પાંચેક લાખનું નુકસાન થયું હતું. તે પછી આજે સવારે વીજ કંપનીના અધિકારીઓએ દુકાન માલિકનું નિવેદન નોંધ્યું હતું. જેમાં વીજ મીટરમાં શોર્ટ સર્કીટની વાત થયા પછી બીજી વખત આવેલા વીજ અધિકારીઓએ તે વિધાન ફેરવવા અને સહી કરવા દુકાન માલિકને કહ્યું હતું પરંતુ તેમ કરવામાં દુકાન માલિક સહમત ન થતાં વીજ અધિકારીઓ સહી કરાવ્યા વગર ચાલ્યા ગયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh