Advertisement
Author: નોબત સમાચાર

રણમલ તળાવમાં ન્હાવા ઉતરેલા શ્રમિકનું ડૂબી જવાથી નિપજ્યું મૃત્યુ

મૃતકના પત્નીનું પોલીસે નિવેદન નોંધ્યું:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: જામનગરના રણમલ તળાવના પાછળના ભાગમાં શનિવારે બપોરે ન્હાવા માટે ઉતરેલા એક શ્રમિક પગ લપસી જતાં ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા પછી મોતને શરણ થયા છે.

જામનગરના કિસાન ચોક વિસ્તાર નજીક આવેલા ગોદળીયાવાસમાં રહેતા સુનિલભાઈ બચુભાઈ બામરોલીયા નામના ૩૨ વર્ષના ગોદળીયા યુવાન શનિવારે સાંજે રણમલ તળાવના પાછળના ભાગ પાસે આવેલી ટ્રાવેલ્સની ઓફિસની સામે આવેલા  તળાવના ભાગમાં ન્હાવા માટે પહોંચ્યા હતા.

આ યુવાન ન્હાતા હતા ત્યારે કોઈ રીતે ૫ગ લપસી જતા ઊંડા પાણીમાં ખાબકી ગયા હતા. આ વેળાએ ત્યાં હાજર લોકોએ બૂમાબૂમ કરતા સુનિલભાઈને બહાર કાઢીને સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે આ યુવાનને મૃત્યુ પામેલા જાહેર કરતા પત્ની કાજલબેન સુનિલભાઈએ પોલીસને જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh