Advertisement
Author: નોબત સમાચાર

રાશનકાર્ડ લાભાર્થીઓનું એકસો ટકા ઈ-કેવાયસી કરાવવા ભાર મુકતા કલેકટર

નાગરિક પૂરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિની બેઠકઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: જામનગર જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં કલેકટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં રેશનકાર્ડ લાભાર્થીઓનું ૧૦૦% ઈ-કેવાયસી કરાવવા બાબત, નવી વાજબી ભાવની દુકાનો ખોલવા અંગે, બ્રાંચ મર્જ કરવા બાબતે, ગ્રામ્ય/ તાલુકા /જિલ્લા કક્ષાની તકેદારી સમિતિની રચના અને બેઠક યોજવા અંગે, વાજબી ભાવની દુકાનના સ્થળ ફેરફાર બાબતે વગેરે મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં કલેકટર કેતન ઠક્કરે રાશનકાર્ડ લાભાર્થીઓનું ૧૦૦% ઈ-કેવાયસી કરાવવા અંગે ભાર મુક્યો હતો. તથા લોકો માય રાશન એપ્લીકેશનના માધ્યમથી ઘરે બેઠા જ ઈ-કેવાયસી કરી શકે તે અંગે લોકોને જાણકારી તથા સમજુતી આપવા સભ્યોને સૂચન કર્યું હતું. જિલ્લાના તમામ લોકોને અનાજનો જથ્થો યોગ્ય સમયે અને વ્યવસ્થિત મળી રહે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા અને હેમંત ખવા, જિલ્લા વિકાસ અધિકારીં વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, અધિક નિવાસી કલેકટર બી.એન. ખેર, જિલ્લા પુરવઠા અધિકારી એસ.ડી. બારડ સહીત સમિતિના સભ્યો ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh