Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એએચટીયુ ટીમે ભાદરા પાટીયા પાસેથી દબોચ્યાઃ
જામનગર તા. ૧૯: જોડિયામાંથી બે વર્ષ પહેલાં એક સગીરાનું અપહરણ થયાની પોલીસમાં ફરિયાદ થયા પછી એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ ટીમે આ શખ્સ તથા ચીખલીના શખ્સને ભાદરા પાટીયા પાસેથી પકડી પાડ્યો છે. પોલીસે આગળની કાર્યવાહી કરી છે.
જોડિયાના પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૩માં એક સગીરાના અપહરણની ફરિયાદ કરવામાં આવી હતી. તેની શોધખોળ કરાતી હતી તે દરમિયાન ભાદરા પાટીયા પાસે એક સગીરા તથા એક શખ્સ આવ્યા હોવાની બાતમી જામનગર એએચટીયુ ટીમને મળતા પીઆઈ એ.એ. ખોખર તથા સ્ટાફના એએસઆઈ આર.કે. ગઢવી, કિરણબેન મેરાણી, જોડીયાના જમાદાર કે.કે. જાડીયા, જે.આર. જેસડીયા દોડી ગયા હતા.
ભાદરા પાટીયા પાસેથી મોરબી જિલ્લાના માળીયા તાલુકાના વતની અને હાલમાં ચીખલી ગામમાં રહેતા હૈદર અલી દોસ્તમામદ જામ નામના શખ્સ તથા સગીરા મળી આવ્યા હતા. બંનેની અટકાયત કરી આગળની કાર્યવાહી કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial