Advertisement
Author: નોબત સમાચાર

ગામના પ્રૌઢની હત્યા કરવાના આરોપમાં ચાર શખ્સની કરાઈ ધરપકડ

સોનાના હાર પર લીધેલા ધિરાણના મુદ્દે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: જામનગર નજીકના મુંગણી ગામમાં નિદ્રાધીન એક પ્રૌઢ પર ચાર શખ્સે છરીના ૧૧ ઘા ઝીંકી દીધા હતા. ઘવાયેલા પ્રૌઢનું સારવારમાં મૃત્યુ થયું હતું. પોલીસે ચારેય આરોપીને પકડી પાડ્યા છે. એક યુવતી દ્વારા સોનાના હાર પર લેવાયેલા ધિરાણના મુદ્દે ઉકત બનાવ બન્યો હતો.

જામનગરના સિક્કા નજીક આવેલા મુંગણી ગામમાં રાજેન્દ્રસિંહ કેર નામના પ્રૌઢની થોડા દિવસ પહેલાં ચાર શખ્સે છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. રાજેન્દ્રસિંહના પુત્ર બલરાજસિંહએ એક યુવતી પાસેથી હાર મેળવી તેના પર પૈસા આપ્યા હતા. તે હાર યુવતીના સંબંધીએ પરત લઈ રૂ.૩૦ હજાર બાકી રાખતા મનદુખ થયું હતું.

તેનો ખાર રાખી બલરાજ સિંહના પિતા પર મહેન્દ્રસિંહ હેમતસિંહ પીંગળ, જયરાજસિંહ ચંદુભા પીંગળ તથા અનિરૂદ્ધસિંહ ભરતસિંહ પીંગળ અને મનોજસિંહ ભીમ સિંહ કેર નામના શખ્સોએ હત્યા કરી હોવાનું ખૂલતા પોલીસે ચારેય આરોપીને પકડી પાડ્યા છે. આ શખ્સોને રિમાન્ડ પર લેવાની તજવીજ કરાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh