Advertisement
Author: નોબત સમાચાર

રંગમતિ ડેમના પાંચમાંથી ચાર દરવાજાની મરામત કામગીરી પૂર્ણ

માસાંતે રંગમતી ડેમનું કામ પૂર્ણ થશે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: જામનગર નજીકના રંગમતિ ડેમના પાંચ દરવાજા કાઢીને તેને બદલવાની કામગીરી કરવામાં આવી રહી છે. પાંચમાંથી ચાર દરવાજા બદલાવી નાંખવામાં આવ્યા છે. જયારે બાકી એક દરવાજો બદલવાની કામગીરી માસાંતે પૂર્ણ કરવામાં આવશે.

સિંચાઈ વિભાગ દ્વારા ગત તા. ૨૮ માર્ચના રંગમતિ ડેમમાંથી ૫૭ એમસીએફટી પાણીનો જથ્થો છોડવામાં આવ્યો હતો અને ડેમને જરૂર પુરતો ખાલી કરી તેનાં દરવાજાની મરામત કામગીરી હાથ ધરવામાં આવી હતી.

તેમાંથી છોડાયેલા પાણીના જથ્થામાંથી અમુક પાણીનો જથ્થો કેનાલમાં વહેતો કરી એ પાણી જામનગરના તળાવમાં ઠાલવાયં હતું. જો કે, પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેમ હતુ પરંતુ કેનાલની સફાઈના અભાવે પાણીનો મોટો જથ્થો મેળવી શકાયો ન હતો.

બીજી તરફ હાલમાં રંગમતિ ડેમના પાંચ દરવાજાની મરામત પ્રક્રિયા ચાલી રહી છે. જો કે પાંચમાંથી ચાર દરવાજાની મરામત થઈ ચુકી છે અને મરામત દરવાજાનું માસાંતે કામ પૂર્ણ થઈ જશે તેમ જાણવા મળ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh