Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં આખલાની લડાઈમાં એક આખલો હોટલમાં ઘુસી ગયો

સ્થાનિક તંત્રની કામગીરી સામે સવાલો

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: દ્વારકામાં રખડતા પશુના કારણે દર્શનાર્થીઓને ભારે મુશ્કેલી પડે છે કારણ કે અવાર નવાર ઢોર દ્વારા યાત્રીકોને હડફેટમાં લેવાતા હોય છે બે દિવસ પહેલા આખલા યુદ્ધમાં એક આખલો હોટલમાં ઘુસી જતા ભારે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.

દ્વારકામાં રસ્તે રઝળતા ઢોર ત્રાસ ફેલાવી રહ્યા છે. ખાસ કરીને ભગવાન દ્વારકાધીશના મંદિર પાસે ઢોરનો ત્રાસ અસહ્ય છે. પરંતુ સ્થાનિક તંત્રની નબળી કામગીરીના કારણે યાત્રીકોને કાયમી જીવનું જોખમ રહે છે.

ગત શનિવારે દ્વારકામાં અંબાણી માર્ગે ચાર આખલાઓ વચ્ચે શેરી યુદ્ધ થયું હતું. જેમાંથી એક આખલો આ માર્ગ પર આવેલી એક હોટલમાં ઘુસી ગયો હતો અને હોટલના કાચ તોડી નાખ્યા હતાં. સદનસીબે કોઈને ઈજા પહોંચી ન હતી. પરંતુ આવા વારંવારના બનાવોથી યાત્રીકોમાં સતત ભયનો માહોલ જોવા મળ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh