Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૧૯: ખંભાળીયામાં નગરગેઈટ ફીડરમાં જુની પોસ્ટ ઓફિસથી જોધપુર ગેઈટ તથા સરકારી રેલવેહાઉસ સુધી ૧૧ કે.વી. નવો કેબલ નાખીને ૧૦ ગાળામાં બે ટ્રાન્સફોર્મરો બદલીને તથા બે ટ્રાન્સફોર્મર શીફટીંગ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ ફેરફારની હાલ જે વીજ વાયરો તૂટવા તથા ચોમાસામાં ક્રોસ થવાની સમસ્યાનો ઉકેલ આવ્યો છે.
ઘી ડેમ વોટર વર્કસની ટાંકીઓ-સંપની સફાઈ
ખંભાળીયામાં પીજીવીસીએલ દ્વારા શહેરી વિસ્તારમાં વીજ કાપ હોય, ખંભાળીયા પાલિકા વોટરવર્કસ દ્વારા આ સમયનો સદઉપયોગ કરીને ઘી ડેમ વોટરવર્કસમાં સફાઈ કામગીરી કરાઈ હતી.
આગામી ચોમાસાના સમયમાં ડોળ, કચરો તથા હડોળા પાણીની આવક થવાની હોય, ખંભાળીયા પાલિકાના ચીફ ઓફિસર ચેતનભાઈ ડુડીયા તથા પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણીના માર્ગદર્શન હેઠળ વોટરવર્કસ ઈજનેર એન.આર. નંદાણીયા તથા તેમની ટીમ દ્વારા ઘી ડેમ વોટરવર્કસની ઊંચી ટાંકીઓ તથા અંડર ગ્રાઉન્ડ સંપમાં કચરો તથા ગંદકી સાફ કરવા તથા પંપીંગ મશીનથી તથા ફિલ્ટર પ્લાન્ટ સફાઈ કાર્ય હાથ ધર્યુ હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial