Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં જર્જરીત મકાનોનો રિસર્વેઃ નવી આઠ સહિત ૧૫૫ ઈમારતો જોખમી જણાઈ

જોખમી ઈમારતોને સેઈફ સ્ટેજે લઈ જવા અથવા તોડી પાડવા નોટીસ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરની ૧૫૫ જેટલા જર્જરીત મકાનોને સેઈફ સ્ટેજે લઈ જવા માટે રી સર્વેની કામગીરી પૂરજોશમાં હતી. મહાનગરપાલિકાની ટીપીઓ શાખા ની ૬ ટુકડી બનાવી સર્વે હાથ ધરી જર્જરિત મકાન માલિકોને નોટિસ પાઠવાઇ હતી.

જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીના ભાગરૂૂપે શહેરની જર્જરીત ઇમારતો કે જેને સિફ સ્ટેજે લઈ જવા અથવા તો દૂર કરવા માટેની તાકીદની કાર્યવાહી ચાલી રહી છે, અને આવા તમામ જર્જરીત મકાનો વગેરેની રી-સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

 જામનગર મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી, આસી. મ્યુનિ કમિંશનર ભાવેશ જાની ના માર્ગદર્શન હેઠળ ટીપીઓ શાખાના ઇજનેર ઊર્મિલ દેસાઈ તેમજ અનિલ ભટ્ટની રાહબરી હેઠળ અલગ અલગ છ ટીમો બનાવી છે, અને ખાસ કરીને જૂના જામનગરના શહેરી વિસ્તારમાં તમામ ટુકડીઓને તાત્કાલિક અસરથી દોડતી કરી દેવાઇ છે.

ગત વર્ષ ની સરખામણીએ ૨૦૮ જર્જરી મકાનો કે જેના માલિકો વગેરેને પોતાની મિલકતો સેઈફ સ્ટેજે લઈ જવા માટે ની સૂચના અપાઇ હતી, અને તે પૈકી કુલ ૬૧ મકાનો રિપેર કરી લેવામાં આવ્યા છે, જયારે ૧૪૭ મિલકતો હજુ જર્જરીત અવસ્થામાં છે, તે તમામ મિલકત ધારકોને સર્વે દરમિયાન ફરીથી નોટિસ પાઠવવામાં આવી છે, અને ચોમાસાની સિઝન પહેલા જ પોતાની મિલકતોને સેઇફ સ્ટેજે લઈ જવા અથવા તાત્કાલિક રીપેર કરવા અને જરૂૂર પડે તો તોડી પાડવા માટેની આખરી મહેતલ આપી દેવામાં આવી છે.

 હાલ તે સર્વે ચાલી રહૃાું છે. જેમાં આઠ નવી મિલકતો એવી જોવા મળી હતી, કે જે જર્જરિત અવસ્થામાં છે, તેના માલિકોને પણ નોટિસ પાઠવી દેવામાં આવી છે.

 તાજેતરમાં વોર્ડ નંબર ૧૦માં એક મકાનની બાલકની નો હિસ્સો ખૂબ જ જર્જરીત બની ગયો હોવાથી એસ્ટેટ શાખાની ટુકડીને દોડતી કરાવાઇ હતી, અને તાત્કાલિક અસરથી મુખ્ય રોડ પર નો વાહન વ્યવહાર બંધ કરી દઈ ઉપરોક્ત જર્જરીત બાલકનીનો હિસ્સો તોડી પાડવામાં આવ્યો હતો. જ્યારે બાકીના અન્ય મકાનને સેઇફ સ્ટેજે લઈ જવા માટે સૂચના આપી દેવામાં આવી છે.

આગામી દિવસોમાં જોખમી મકાનો કે જેની મરામતની કાર્યવાહી હાથ નહિ ધરી લેવાય તો જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ દ્વારા ચોમાસા પહેલાં આવા ભયજનક મકાનોને દૂર કરી લેવા માટે ની કાર્યવાહી હાથ ધરી લેવાશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh