Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડ તાલુકા પેન્શનર મંડળ દ્વારા સ્નેહમિલન

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૧૯: ભાણવડમાં તાલુકા પેન્શનર મંડળના સ્નેહ મિલનમાં મંડળના પ્રમુખ ડો. રમેશભાઈ ભટ્ટની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં ૭૫ વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા પેન્શનરોનું સન્માન કરાયું હતું.

દાતાઓ કાલીદાસભાઈ શાપરીયા, રતનશીભાઈ સુતરીયા, ડૉ. ખુશાલભાઈ શીલુનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રમુખ ડૉ. રમેશભાઈ ભટ્ટે સરકારની યોજનાઓ અને લાભ અંગે માહિતી આપી હતી.

આ કાર્યક્રમમાં જામનગરના બુચભાઈ તેમજ અન્ય તાલુકાના પેન્શનર મંડળના પ્રમુખો હાજર રહ્યા હતાં. સંચાલન સહદેવસિંહે કર્યું હતું. વજશીભાઈ નંદાણીયા, દિલુભા ઝાલા, નાનુભાઈ ત્રિવેદી, વસંતભાઈ પરમાર, રાજુભાઈ પંચોલી, રમણીકભાઈ, મુકેશભાઈ વિગેરેએ જહેમત ઉઠાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh