Advertisement
Author: નોબત સમાચાર

હત્યાના આરોપીની તબીયત લથડતા અમદાવાદ ખસેડાયો

નાંદુરીના શખ્સ પર પોલીસની નજરઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: લાલપુરના નાંદુરી ગામમાં ગયા સપ્તાહે થયેલી હત્યાના આરોપીની ધરપકડ માટે પોલીસે તજવીજ કરી છે. તે દરમિયાન આરોપીની તબીયત લથડતા તેને અમદાવાદ દવાખાને ખસેડવામાં આવ્યો છે.

લાલપુર તાલુકાના નાંદુરી ગામના જેતાભાઈ ભીખાભાઈ કરંગીયા નામના વૃદ્ધ પર ગયા સપ્તાહે ખેતરમાં આવવા જવાના રસ્તા પરના બાવળ કાપવાના મામલે સળીયાથી હુમલો થયો હતો.

ઘવાયેલા વૃદ્ધનું સારવારમાં મૃત્યુ થતાં બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે આરોપી ખીમાભાઈ કરંગીયા સામે ગુન્હો નોંધી તેની ધરપકડ માટે તજવીજ કરી હતી. આ આરોપીને સારવાર માટે લાલપુર અને ત્યાંં જામનગર દવાખાને ખસેડાયા પછી વધુ સારવાર માટે અમદાવાદ દવાખાને લઈ જવાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh