Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક મહિલા સહિત સાત સામે પોલીસે ગુન્હો નોંધ્યોઃ
જામનગર તા. ૨૩: ઓખામંડળના સુરજકરાડીમાં ભાયુભાગના મકાન બાબતે ચાલતી બોલાચાલી પછી બુધવારે છૂટાહાથની મારામારી થઈ હતી. બે વ્યક્તિને ફ્ેક્ચર થઈ ગયા છે. બંને પક્ષે સામસામી ફરિયાદ કરતા એક મહિલા સહિત સાત સામે ગુન્હો નોંધાયો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા સુરજકરાડીમાં વસવાટ કરતા કેવલ લલીતભાઈ સીંગડીયા તથા પ્રવીણભાઈ નામના વ્યક્તિઓ વચ્ચે બાપ-દાદાના જૂના મકાન બાબતે સમાધાન સધાયું હતું. એક જ પરિવારના આ વ્યક્તિઓએ કેવલના પિતા લલીતભાઈને થોડા સમય પહેલાં એક મહિનામાં રૂ.પોણા બે લાખ આપવાની વાત કરી હતી.
તે વાત મુજબ મહિનો વીતી જતા કેવલે પૈસા માંગતા બુધવારે પ્રવીણભાઈ, સૌરવ, નિર્મલ તથા વિજયે ગાળો ભાંડી માર માર્યાે હતો અને કેવલના માતા દક્ષાબેનને હાથમાં ફ્રેક્ચર કરી નાખ્યું હતું. આ ફરિયાદની સામે સૌરવ કનુભાઈ સીંગડીયાએ વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યા મુજબ ભાયુભાગની બાબતે બોલાચાલી પછી બુધવારે કેવલ લલીતભાઈ, લલીત તુલસીભાઈ, દક્ષાબેન લલીતભાઈ સીંગડીયાએ ગાળો ભાંડી ધોકાથી પ્રવીણભાઈ પર હુમલો કર્યાે હતો. વચ્ચે પડનાર નિર્મલને માર મરાયો હતો. હુમલામાં સૌરવને ફ્રેક્ચર કરી નખાયું હતું. પોલીસે બંને ફરિયાદ પરથી એક મહિલા સહિત સાત સામે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial