Advertisement
Author: નોબત સમાચાર

નબળી આર્થિક પરિસ્થિતિના કારણે નાસીપાસ યુવાને ખાઈ લીધો ગળાફાંસો

મોવાણમાં અકળ કારણથી વૃદ્ધની આત્મહત્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: જામનગરના નાગેશ્વર પાર્કમાં રહેતા એક યુવાને આર્થિક પરિસ્થિતિ નબળી બની જતા લાગી આવવાના કારણે ગઈકાલે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. જ્યારે ખંભાળિયાના મોવાણ ગામના વૃદ્ધે પોતાના ખેતરમાં કોઈપણ કારણથી ગળાટૂંપો ખાઈ લીધો છે.

જામનગરના નાગેશ્વર વિસ્તારમાં આવેલા નાગેશ્વર પાર્કની શેરી નં.૪માં રહેતા પ્રવીણભાઈ વલ્લભભાઈ પરમાર નામના ૪૭ વર્ષના મોચી યુવાને રવિવારે વહેલી સવારે પોતાના ઘરમાં એક પંખામાં દોરડા વડે ગળાફાંસો ખાઈ લીધો હતો જેની જાણ તેમના પરિવારને તથા ૧૦૮ને કોલ કરવામાં આવ્યો હતો.

દોડી આવેલી એમ્બ્યુલન્સના સ્ટાફે પ્રવીણભાઈને નીચે ઉતારી ચકાસ્યા પછી મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. હિતેશભાઈ દેવચંદભાઈ પરમારે પોલીસને જાણ કરી છે. પોલીસે તેઓનું નિવેદન નોંધ્યું છે નિવેદનમાં જણાવવામાં આવ્યા મુજબ પ્રવીણભાઈના ઘરની આર્થિક પરિસ્થિતિ થોડા સમયથી ખરાબ બની ગઈ હતી. તે બાબતનું માઠું લાગી આવતા તેઓએ આ પગલું ભરી લીધું છે. પોલીસે મૃતદેહને  પીએમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ખંભાળિયા તાલુકાના મોવાણ ગામની સીમમાં રહેતા પબાભાઈ સાજણભાઈ આસતાણી નામના બાંસઠ વર્ષના વૃદ્ધે શનિવારે સાંજે પોતાના ખેતરે જઈ કોઈ અગમ્ય કારણથી ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવી લીધુ છે. તેમના પુત્ર માણસીભાઈએ પોલીસને જાણ કરી છે. આત્મહત્યાનું કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh